27/04/2020
એક સજાગ દુકાનદારનું નિરીક્ષણ. જે અસ્વસ્થ કરનારું છે.
વિગતથી વાંચો:- કરીયાણાની દુકાન છે. દુકાન ખાતે પચાસ ટકા ગ્રાહક નીચેની વસ્તુઓ ના છે.
મેગી, મેગી મસાલા, ચીઝ, બટર, પાસ્તા, મેકરોની, પાસ્તા મસાલા, મેયોનીઝ, વેફર્સ, ફરસાણ, મમરા, પાણીપુરીની પુરીઓ, વિવિધ બિસ્કૂટ્સ, ચૉકલેટ પાવડર, કસ્ટર્ડ પાવડર, યીસ્ટ, રેડ/ગ્રીન ચીલી સૉસ, ન્યુડલ્સ, ઇન્સ્ટન્ટ ફૂડ્સ, ચાયનીઝ મસાલા, પાવભાજી- સાંબાર- બિરિયનિ મસાલા, જામ, ચૉકલેટ અને સૌથી વધારે માંગણી છે તે સિગારેટ, તમાકુ અને ગુટકા ની.
કૃપયા, તમે પોતે જ વિચાર કરો કે લાઈનો લગાવીને ખરીદી કરનાર ને આ વસ્તુઓ જીવનાશ્યક છે ??
પ્રશાસને આપણને દિધેલી સગવડનો આપણે જ દુરુપયોગ કરી રહ્યાં છીએ. આપણે આવી જ રીતે વર્તનાર હોયતો પ્રશાસને લિધેલી બધી મહેનત પાણીમાં જશે અને તે હિસાબે સમાજ, દેશ અને આપણી અર્થવ્યવસ્થા હજુ પણ સંકટમાં આવીને આપણે બધાએ સોસાઈને ભરડાઈ જઈશું.
ધ્યાનમાં લો કે આ સંકટ ઘણું મોટું છે અને આપણે સહજ હસવા માં ન લેવું.
કૃપયા, અન્ન, ધાન્ય અને પૈસા જોઈવિચારી ને ખર્ચ કરો.
આ સમય રોજ નવી ડિશ કરીને ખાવા માટે ની નથી. આજ (જીવનાશ્યક) વસ્તુનો પુરવઠો હોય, (કદાચ) આવતી કાલે હશે જ તેની ખબર નથી.,
જેટલું જરુર હોય તેટલું જ રાંધો, પીરસો, પણ હોશના (દેખાદેખી ના) માર્યા રોજ નવા નવા ઉધામા ટાળો.
એકદમ અનાજ/કરીયાણું લઈને પતાવી ન નાખો. જે છે તેમાં થોડું ઓર ચલાવવાના દિવસ છે.
સંકટ પુરું થયું તોપણ મોંઘવારી કાબૂમાં આવશે કે નહીં ઉપરવાલા જાણે.
આગળના દિવસો મુશ્કેલી ભર્યા હશે તેની શક્યતા નકારી શકાતી નથી. આખા જગતમાં પુરવઠો ઓછો પડશે.
આજ લાઈનો લગાવીને મળે છે તે (આવતી) કાલે હશે તેવું નક્કી નથી !
ઉત્પાદન/ખેતી કરવાં મનુષ્યબળ મળશે તેની ખબર નથી.
પાણી, વીજળી, અનાજ બધું જોઈતું જ વાપરો.
લૉકડાઉનના દૂરગામી પરિણામ થવાના છે.
સાવધ અને સજાગ થાવ.. આ ઘણાં લાંબા સમય સુધી ચાલનારી લડાઈ છે.
જીભ પર અને ખર્ચા પર નિયંત્રણ રાખો. -કોની નોકરી અને કામધંધા જશે કે રહેશે તેની ખબર નથી.
બે જવાબદારપણા વર્તણુંક થી આપણા કુટુંબ, સમાજ અને દેશને ખાડામાં ન નાખશો.
🙏🙏🙏