05/05/2019
*એમ સલાહ કે શિખામણ બીજાને આપવી સારી લાગે પણ પોતે જ તેનું અનુસરણ કરે નહી ત્યારે તે સલાહ કે ઉપદેશ શિખામણનું કશું મૂલ્ય રહેતું નથી.આપણે આપણું જીવન એવું જીવવું જોઇએ તે બીજા માટે આદર્શ બની રહે એવું સંત મહાપુરુષોનું જીવન બીજા માટે દાખલા રૂપ બને ,બીજાને સલાહ આપવા કરતાં આપણે આપણું જીવન આપણી રહેણી કરણી પ્રત્યે લક્ષ રાખી બીજાને દ્રષ્ટાંત રૂપ બને તેવું ઉદાહરણ પૂરુ પાડવું તેમાં કોઈને સલાહ કે શિખામણ આપવી પડતી નથી.*
*ત્યારે કવિ કાગ બાપુ હીરા જેવાં સંતોના શબ્દોનો વેપાર કરવાની ભલામણ કરે છે ,અને ઝવેરી બનવાનું કહે છે.નહિતર બજારમાં નકલી હીરા મોતી સોનું રૂપિયા અસલીનું નામ લઇને ચાલે છે ,તેની ઓળખ કરી અને વસ્તુ લેવાનુ કહે છે ,નકલી અને અસલીની પરખ કેમ કરવી તે કાગ બાપુ વાણી દ્વારા કહે છે.*
*હીરાનો વેપારી તું છો ,*
*ઝવેરાતનો જાણનાર ,*
*વીરા તારે હીરાનો વેપાર -ટેક **
*કઈક માનવી ફરે બજારે ,*
*રોકીને બેસે બજાર ,*
*મોઢું જોઈને ખોલજે ,*
*તારી તિજોરીના દ્વાર -ટેક **
*મૂડી વિનાના માનવી સાથે ,*
*કરીશ નહી વેપાર ,*
*નફો નહી મળે ગાંઠનું જાશે ,*
*ને હાંસલમાં તકરાર -ટેક **
*જીવન કરતાં સત્ય તણી,*
*કીમત જે કરનાર ,*
*એવાં જો માલ માંગે તારો ,*
*આપી દેજે ઉધાર -ટેક **
*આંગણે તારે આવશે ,*
*કોઈક હીરાનો લેનાર ,*
*તે દી ઝવેરી ભૂલી જ જજે ,*
*બકાલીની બજાર -ટેક **
*ફાંટ બાંધીને ફેંકી ન દેજે ,*
*દલાલોને દ્વાર ,*
*વેચવા ગયા તે પોતે વેચાયા ,*
*જગતની બજાર -ટેક **
*ગુરુ ગમ કેરી દુકાન ખોલી ,*
*બેસી રહેજે તારે દ્વાર ,*
*'કાગ ' કહે ઝવેરી ભેટતા ,*
*થાશે બેડો પાર -ટેક **
*જગતમાં નકલી જ્ઞાનની ફાંટ બાંધીને ફરનારાઓ આવો નકલી અને ખોટો માલ સસ્તામાં વેચીને રાતોરાત ભાગી જવાના છે ,પણ અસલી માલ માટે ધ્યાન અને પ્રેમની મૂડી (પૂંજી )જોઇએ ગુરુ ગમની રીત અને ચાવી જોઇએ શ્રદ્ધા અને વિશ્વાસ જોઇએ અને પોતાની અનુભવ રૂપી સાચી મૂડી જોઇએ તોજ સાચી વસ્તુની પ્રાપ્તિ થાય.માટે નરખી પરખીને વસ્તુ વોહરવી.*
*ગ્રુપમાં સર્વે સંતો ભક્તોને દીપકભાઇના પ્રણામ*