J G Vachhani

J G Vachhani Stop,Wait,look & ahead take Desigion your valuable property દસ્તાવેજ બિનખેતી રેવન્યુ કોટે કચેરી કાર્ય

🙋‍♂️ ગામડાના ખેડૂતોને  જમીન માપણી અને રી- સર્વે માટે જે જિલ્લા કક્ષા એ ધક્કા ખાવા પડતા હતા એ હવે તાલુકા કક્ષાએ 🆕નવી આર.એ...
22/07/2026

🙋‍♂️ ગામડાના ખેડૂતોને જમીન માપણી અને રી- સર્વે માટે જે જિલ્લા કક્ષા એ ધક્કા ખાવા પડતા હતા એ હવે તાલુકા કક્ષાએ 🆕નવી આર.એલ.આર. કચેરી સ્થાપવા અંગે ગુજરાત સરકાર નો પરીપત્ર/ઠરાવ......

છત્તીસગઢની રાયપુર કન્ઝ્યુમર કોર્ટે E-20 પેટ્રોલ વિવાદમાં દેશનો પહેલો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જૂની ટેકનોલોજીની કાર નવા ...
16/07/2026

છત્તીસગઢની રાયપુર કન્ઝ્યુમર કોર્ટે E-20 પેટ્રોલ વિવાદમાં દેશનો પહેલો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જૂની ટેકનોલોજીની કાર નવા ભાવે વેચી છેતરપિંડી કરવા બદલ કોર્ટે જાણીતી કાર કંપનીને ગ્રાહકને નવી E-20 કમ્પેટેબલ કાર આપવા અથવા વ્યાજ અને દંડ સહિત રૂ. 20.50 લાખની પૂરી રકમ 45 દિવસમાં પરત કરવાનો કડક આદેશ આપ્યો છે.

E20 Petrol Car Verdict Raipur, Consumer Court Fraud Car Judgment, E20 Compatible Car Order India, Automobile Consumer Protection News, Raipur Consumer Court Order,

11/07/2026

સુપ્રીમ કોર્ટની ઘટના...

આ ઘટના જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચ સમક્ષ બની હતી.

અરજદારનું નામ: પ્રબલ પ્રતાપ (જે પોતાનો કેસ રજૂ કરી રહ્યા હતા).

ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને સ્પેશ્યલ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ફાંસીની સજા ય...
07/07/2026

ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને સ્પેશ્યલ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ફાંસીની સજા યથાવત રાખી છે. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓમાં 56 લોકોના મોત નીપજ્યા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2022 માં સ્પેશ્યલ કોર્ટે આ કેસના 38 વ્યક્તિઓને ફાંસીની સજા સંભળાવી હતી, જે ભારતના ન્યાયિક ઈતિહાસમાં એકસાથે સૌથી વધુ લોકોને ફાંસી આપવાનો રેકોર્ડ હતો. હવે હાઈકોર્ટે પણ આ તમામ આતંકીઓની સજાને યથાવત રાખીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

🙋‍♂️ 🏠ઘર ગુમાવનારા 👪પરિવારોને ગુજરાત  હાઈકોર્ટની મોટી 😌રાહત, ફરી મકાન અથવા વૈકલ્પિક આવાસનો આદેશ નાસીરનગર ડિમોલેશન કેસમાં...
04/07/2026

🙋‍♂️ 🏠ઘર ગુમાવનારા 👪પરિવારોને ગુજરાત હાઈકોર્ટની મોટી 😌રાહત, ફરી મકાન અથવા વૈકલ્પિક આવાસનો આદેશ નાસીરનગર ડિમોલેશન કેસમાં કોર્ટ તરફથી મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટએ સંબંધિત સત્તાધિકારીઓને વિસ્થાપિત પરિવારોને 🙊શક્ય હોય તો તે જ સ્થળે ફરી મકાન અથવા યોગ્ય વૈકલ્પિક આવાસ ઉપલબ્ધ કરાવવા અંગે નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય બાદ ઘર ગુમાવનારા પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને અનેક લોકોએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.🙏

🙋‍♂️ બોમ્બે હાઈકોર્ટે એક રાજકીય કાર્યકર્તા વિરૂદ્ધના તડીપારના (જિલ્લાબદલી) આદેશને રદ કરતા પોલીસ 👮 તંત્રની આકરી આલોચના કર...
03/07/2026

🙋‍♂️ બોમ્બે હાઈકોર્ટે એક રાજકીય કાર્યકર્તા વિરૂદ્ધના તડીપારના (જિલ્લાબદલી) આદેશને રદ કરતા પોલીસ 👮 તંત્રની આકરી આલોચના કરી છે. જસ્ટિસ માધવ જામદારે ટિપ્પણી કરી કે, નાગરિકો સાથે 'ગુલામો' જેવું વર્તન ➡ના કરી શકાય. વિરોધ કરવો અને 'સરકાર મુર્દાબાદ' જેવા નારા લગાવવા એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પોલીસ લોકસેવક છે, કોઈ નેતાના સેવક નહીં.🙏

🙋‍♂️અસીલ દ્વારા તેના વકીલને ચૂકવવામાં આવતી વ્યાવસાયિક ફીને 'ગુનાની આવક' ગણી શકાય નહીં કારણ કે ચૂકવણી કરનાર આરોપી છે.ન્યા...
02/07/2026

🙋‍♂️અસીલ દ્વારા તેના વકીલને ચૂકવવામાં આવતી વ્યાવસાયિક ફીને 'ગુનાની આવક' ગણી શકાય નહીં કારણ કે ચૂકવણી કરનાર આરોપી છે.

ન્યાયાધીશ જેજે મુનીર અને ન્યાયાધીશ અરુણ કુમારના વિભાગે કાનપુરના વકીલ આયુષ વાજપેયીની અરજી પર આ ટિપ્પણી કરી હતી, જેમના બેંક ખાતાને સાયબર સેલ દ્વારા નકલી વ્યવહારો કહીને ફ્રીઝ કરવામાં આવ્યા હતા - જ્યારે તે રકમ ખરેખર તેમના કાયદામાંથી મળેલી વ્યાવસાયિક ફી હતી.

કોર્ટે કહ્યું - 1⃣એક વકીલ મોટા કૌભાંડ અથવા છેતરપિંડીના આરોપીનો બચાવ પણ કરી શકે છે, પરંતુ જ્યાં સુધી વકીલ પોતે ગુનામાં સામેલ ન હોય, ત્યાં સુધી તેની ફીને ગુનાની કમાણી કહી શકાય નહીં. ફીનો સ્ત્રોત સરકાર હોય, સામાન્ય નાગરિક હોય કે આરોપી હોય - વ્યાવસાયિક આવક અને વકીલના સ્ત્રોત વચ્ચે તફાવત કરવો જરૂરી છે.

કેસને ગંભીર ગણતા, કોર્ટે ઉપલા મુખ્ય સચિવ (ગૃહ) ને વ્યક્તિગત સોગંદનામું પૂછ્યું છે કે પોલીસ બેંક ખાતા ફ્રીઝ કરવાના આવા દુરુપયોગને કેવી રીતે અટકાવશે.?

આગામી સુનાવણી 17 જુલાઈએ —

🙋‍♂️ જીવતા મા-બાપને પ્રેમથી સાંભળજો, ગુમાવ્યા પછી ગીતા સાંભળવા નો ❓શું અર્થ, જીવતા ભેગા બેસીને જમાડજો ,ગુમાવ્યા પછી આખા ...
07/05/2026

🙋‍♂️ જીવતા મા-બાપને પ્રેમથી સાંભળજો, ગુમાવ્યા પછી ગીતા સાંભળવા નો ❓શું અર્થ, જીવતા ભેગા બેસીને જમાડજો ,ગુમાવ્યા પછી આખા ગામને લાડવા /મોહનથાળ ખવડાવવાનો 😧 અર્થ શું ?
💔😔🙏
#ખેડૂત #સૌરાષ્ટ્ર #શ્રદ્ધાંજલિ

02/05/2026

🙋‍♂️મારો ખેડૂત જણસી ટેકાના ભાવે વેચવા લાઈનમાં વારાની વાટે... કે 👉 કયારે મારો વારો આવશે.... ? 🌾💰🌱
#સૌરાષ્ટ્ર #ગુજરાત #ખેડુત

🙏Om shanti 🙏દિલગીરી સહ જણાવવાનું કે, અમારા માતુશ્રી સવિતાબેન જી. વાછાણી ઉ. વ. ૭૪, સંવત ૨૦૮૨ ના ચૈત વદ- ૫ ને મંગળવાર, તા....
10/04/2026

🙏Om shanti 🙏
દિલગીરી સહ જણાવવાનું કે, અમારા માતુશ્રી સવિતાબેન જી. વાછાણી ઉ. વ. ૭૪, સંવત ૨૦૮૨ ના ચૈત વદ- ૫ ને મંગળવાર, તા. ૦૭/૦૪/૨૦૨૬ ના રોજ ગૌ - લોકવાસી થયેલ છે.
પ્રભુ ઈચ્છા બળવાન છે, તેમના આત્માના કલ્યાણ અને શાંતિ માટે દશાશ્રાધ્ધ તા.૧૨/0૪/૨૦૨૬ અને ઉતરક્રિયા ચૈત્ર વદ-૧૧ ને સોમવાર, તા. ૧૩/0૨૦૨૬ (Mother Day) ના રોજ રાખેલ છે.. ઓમ શાંતિ 🙏🙏

ડો. એમ. જી. વાછાણી
જે. જી. વાછાણી, એડવોકેટ & નોટરી, ભેસાણ -362020

Address

Bhesan
362020

Website

Alerts

Be the first to know and let us send you an email when J G Vachhani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share